કોરોના વાયરસની મહામારી અને વધતા જતા સંક્રમણ વચ્ચે આજે પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહૂતિ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ : આ વર્ષે કોરોના વાયરસની મહામારી વચ્ચે વિવિધ ઉત્સવો અને તહેવારોની ઉજવણી પણ સાદગીપૂર્ણ કરવામાં આવી હતી. અતિ પવિત્ર શ્રાવણ મહિનામાં આવતા વિવિધ તહેવારોની પણ ઉજવણી સામાજિક દુરી સાથે થઇ હતી. પવિત્ર શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવ ભોળાનાથની પૂજા અર્ચના કરવાનો મહિનો ગણવામાં આવે છે પરંતુ કોરોના વાયરસની મહામારી લઈ સમગ્ર માસ દરમિયાન અનેક પ્રાચીન અર્વાચીન મંદિરોમાં પણ ભક્તો ની પાંખી હાજરી વચ્ચે શિવ પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારે આજે પવિત્ર શ્રાવણ મહિનાનો અંતિમ દિવસને લઈ શિવ ભક્તોમાં સમગ્ર માસ દરમિયાન કરેલી પૂજા અર્ચના નો છેલ્લો દિવસ રહ્યો છે ત્યારે ઠેરઠેર શિવ મંદિરોમાં સામાજિક દુરી સાથે યજ્ઞ કરી પૂર્ણાહુતિ કરવામાં આવશે શિવ ભક્તો પણ આજના છેલ્લા દિવસે યજ્ઞમાં બેસી કોરોનાવાયરસ ની મહામારી સમગ્ર જગતમાંથી દુર થાય તેની પ્રાર્થના પણ કરશે શ્રાવણ મહિનાના અંતિમ દિવસને લઈને વિવિધ શિવમંદિરોમાં શિવ શુગાર પણ કરવામાં આવશે ત્યારે આજના પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસને લઇને શિવભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.