બનાસકાંઠામાં કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબુ બની રહ્યું છે. જ્યાં શુક્રવારે વધુ ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૨૨૦ પહોંચી ગઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે. કોરોના બેકાબુ બની રહ્યો છે. આવી સ્થિતિમાં શુક્રવારે એક જ દિવસમાં વધુ ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૨૨૦ પહોંચી ગઈ છે. આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે તાત્કાલિક કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એમના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરેન્ટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.