ધાનેરાના વાસડા ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર પહોચ્યુ
ધાનેરા તાલુકાના વાસડા ગામમાં વરસાદી પાણી લોકોનાં ઘરમાં ઘૂસી ગયા હતા. વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા પાણીનું નાળું બંધ થઈ જતાં સ્થાનિક દૂધ મંડળી સહિત ગામમાં ઘૂંટણ સમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરતા આખરે તંત્ર દોડતું થયું હતું અને પોલીસકર્મીની મદદ સાથે વરસાદી પાણીનો નીકાલ કરવામાં આવ્યો હતો. વાસડા
ગામમાં પાણીના નિકાલ બાબતે જિલ્લા કક્ષાએ રજૂઆત થઈ હતી જેના પગલે ધાનેરા તાલુકા વિકાસ અધિકારી સાથે માર્ગ મકાન વિભાગના અધિકારી પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. ગામના કોઈ વિખવાદ ના થાય તેને લઈ ધાનેરા પોલીસ પણ વાસડા ગામ
ખાતે આવી પહોંચી હતી. આ ઉપરાંત ધાનેરા તાલુકાના આલવાડા ગામથી બાપલા વાછોલ ગામ તરફ જતા માર્ગપર વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો હતો.જાેકે તંત્ર દ્વારા જેસીબી મશીનની મદદથી વરસાદી પાણીનો નિકાલ કરાયો હતો.