પાલનપુરના મડાણા (ગઢ)ના રામનગર થી ખારેડા રોડનું કામ અધૂરું છોડાતા સ્થાનિકોમાં રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના મડાણા (ગઢ)ના રામનગરથી ખારેડા રોડનું કામ અધૂરું છોડાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ માર્ગના અધૂરા કામ થી રોષે ભરાયેલા સ્થાનિકો રજુઆત કરવા જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા જોબ નંબર પડ્યા બાદ રોડનું કામ શરૂ તો થયું પરંતુ અધૂરું છોડી દેવાયા ગ્રામજનોના આક્ષેપ કરી રહ્યા છે. જો વહેલી તકે કામ શરૂ નહીં થાય તો ગાંધી ચિધ્યા માર્ગે વાળવાની ચીમકી ઉચ્ચારી છે.બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના મડાણા ગઢ ગામે ખારેડા રોડનું કામ અધૂરું છોડતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇ સ્થાનિકો ભેગા થઈ મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. મડાણા રામનગરથી ખારેડા રોડનું ત્રણ દિવસ કામ ચાલુ કરવામાં આવ્યું હતું. જેનો જોબ નંબર પર પડેલ છે પરંતુ, કામ બંધ કરી દેતા સ્થાનિકોમાં રોસ જોવા મળ્યો હતો જેને લઈ જોકે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં વહેલી તકે રોડનું કામ ફરી ચાલુ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકો ઉચ્ચારી છે. કલેક્ટરને રજુઆત કરવા પહોંચેલ અગ્રણીએ જણાવ્યું હતું કે, મડાણા ગઢમાં નવા જોબ નંબર પડેલ છે.જે જોબ નંબર કામ પણ ચાલુ થઈ ગયું હતું, છતાં ત્રણ દિવસ કામ કર્યા બાદ કામ બંધ થઈ ગયું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.