![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/43a27c56-0aa6-4d7c-b39d-4728bd559696.jpg)
પાલનપુરના બ્રાહ્મણવાસમાં કોમર્શિયલ બાંધકામ સામે વિરોધ
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુરના બ્રાહ્મણ વાસમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શીયલ બાંધકામ શરૂ કરાતા સ્થાનિક રહીશો રોષે ભરાયા છે. આ બાબતે અગાઉ પણ આ વિસ્તારના પ્રોફેસરે વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન ફરીથી બાંધકામ શરૂ થતા હવે પ્રોફેસરે માથે મુંડન કરાવી આમરણાંત ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં ગેરકાયદેસર રીતે દબાણો કરી બાંધકામો કરાયા હોવાની વ્યાપક રાવ ઉઠી છે. ત્યારે પાલનપુરના બ્રાહ્મણવાસ રહેણાંક વિસ્તાર હોવા છતાં કોમર્શિયલ બાંધકામ શરૂ કરાતા આ બાબતે આ વિસ્તારમાં રહેતા પ્રોફેસરે અગાઉ પણ વિરોધ નોંધાવ્યો હતો. અને કોર્ટમાંથી સ્ટે લાવ્યો હતો. જો કે ફરીથી આ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ શરૂ થઇ જતાં આ વિસ્તારના