લો કોલેજોમાં પ્રવેશ અને ફી વધારાનો વિરોધ : પાલનપુર ખાતે એબીવીપી એ આપ્યું આવેદનપત્ર

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યની લો કોલેજોમાં પ્રવેશ અને ફી વધારા સામે પાલનપુર ખાતે એબીવીપી એ વિરોધ જતાવતા અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

રાજ્યની સરકારી-અર્ધ સરકારી લો કોલેજોમાં પ્રવેશ અંગે વિવાદ ચાલી રહ્યો છે. જેને લઈને સુપ્રિમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે લો કોલેજમાં પ્રવેશ અંગે અને ફી વધારા તથા લો કોલેજના વિષયો ને લઈને પાલનપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિરોધ વ્યક્ત કર્યો હતો. એબીવીપી એ આ અંગે અધિક કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. જોકે, એબીવીપી એ માંગણીઓ નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.