મહેસાણા જિલ્લાની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન અંબાજી મંદિરે પણ જશે :કાર્યક્રમને લઈ પાલનપુરમાં બેઠક યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

પીએમ મોદી 30 તારીખે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મહેસાણાના ખેરાલુંમાં આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન અંબાજી મંદિરે દર્શન કરવા પણ પહોંચશે. જેને લઈ બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાંઆવી છે. આજે પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ પાલનપુર પહોંચ્યા હતા અને કાર્યક્રમની સમીક્ષા કરી હતી.


આ અંગે ભાજપ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે, આગામી 30 તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગુજરાત મહેસાણા જિલ્લામાં ખેરાલુ ખાતે પધારી રહ્યા છે. વિવિધ વિકાસના લોકાર્પણ અને ખાદ્યમુહર્તના કામો એમના દ્વારા થનાર છે એમને આવકારવા માટે મહેસાણા,બનાસકાંઠા,પાટણ જિલ્લાના પ્રજાજનો ખુબજ ઉત્સુક છે. સૌ મિત્રોને આહવાન પણ કરીએ છીએ આવો સાથે મળીને 30મીએ પ્રધાનમંત્રી નરેંદ્રભાઈ મોદીને સાંભળીએ. વડાપ્રધાન અંબાજી ખાતે માતાજી ના દર્શન અર્થે આવનાર છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.