થરાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે થરાદ એસટી ડેપોની મુલાકાત લીધી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ નગરપાલિકાના નવા સુકાનીઓએ સોમવારે થરાદ એસટીડેપોની મુલાકાત લીધી હતી. જ્યાં ડેપોના સત્તાવાળાઓ દ્વારા પાણીની સમસ્યા અને કચરાપેટી આપવાની માંગણી કરવામાં આવી હતી. પ્રમુખ ઉપપ્રમુખે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.
થરાદ નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા અને ઉપપ્રમુખ રમેશભાઇ રાજપુતે સોમવારે થરાદ એસટીડેપોની મુલાકાત લીધી હતી. ડેપોના મેનેજર ભરત ચૌધરીની મુલાકાત દરમિયાન પ્રમુખ ઉપપ્રમુખ સમક્ષ પાણી પુરવઠા દ્વારા એસ.ટી.ડેપોમાં આપવામાં આવે છે. પરંતુ થરાદ એસટી ડેપોમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. આથી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા તેમજ એસ.ટી ડેપોમાં થતો કચરાના નિકાલ માટે એસટી ડેપોમાં કચરાપેટી મુકવા માટેની માંગણી કરી હતી. આ અંગે નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા અને ઉપર રમેશભાઈ રાજપુતે તેમની માંગણીને તરત પુરી કરવાની ખાત્રી આપી હતી. ત્યારબાદ જાનકીબેન ઓઝા અને ઉપપ્રમુખ રમેશભાઈ રાજપુતનું એસટી ડેપોના કર્મચારીઓ અને કાશીરામભાઈ પુરોહિત દ્વારા શાલ ઓઢાડી, ગુલદસ્તો આપી સન્માન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.