પાલનપુર માર્કેટયાર્ડમાંખેડૂત ખાતેદારને ખેડૂત વીમા યોજનાના એક લાખનો ચેક અર્પણ
પાલનપુર માર્કેટયાર્ડમાં બજાર સમિતિ પાલનપુરના સંચાલક મંડળ દ્વારા ખેડૂત ખાતેદારનું આકસ્મિક અકસ્માતે અવસાન થયું હોય એવા ખેડૂત ખાતેદારના વારસદારોને ખેડૂત વીમા યોજના દ્વારા એક લાખ રૂપિયા જેટલી માતબર રકમના ચેકો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ટપક પધ્ધતિથી ફુંવારા બનાવેલા હોય તેવા ખેડૂતોને અપાતી સહાયના ચેકો પણ એનાયત કરવામાં આવ્યા હતા.ઉપસ્થિત ચેરમેન ફતાભાઈ ધારિયા દ્વારા બજાર સમિતિ-પાલનપુર દ્વારા અપાતી સહાય યોજનાનું લાભાર્થી ભાઈ-બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં વા.ચેરમેન ભગવાનભાઈ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટરો, લાલજીભાઈ કરેણ, દિનેશભાઈ કુણિયા, હરેશભાઈ રાતડા, દલપતસિંહ રાજપુત, મોંઘજીભાઈ જેગોડા સહિતના વરદહસ્તે ચેકો ખેડૂત લાભાર્થી ભાઈ-બહેનોને વિતરણ કરવામાં આવ્યું હતું.