પ્રાગટ્ય દિવસ : અંબાજી મંદિરમાં શાકભાજીનો અન્નકૂટ અને 56 ભોગની મીઠાઈનો અન્નકૂટ યોજાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઊપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી ખાતે પોષી પૂનમનો અનેરો મહત્ત્વ છે. આ દિવસને મા અંબાના પ્રાગટ્ય દિવસથી પણ ઓળખવામાં આવે છે. બુધવારે સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.

અંબાજી મંદિરના ચાચર ચોકમાં વહેલી સવારે મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવશે. અંબાજી મંદિરમાં પૂનમની આરતીનો અનેરૂ મહત્વ હોય છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દૂર-દૂરથી આરતી ભરવા આવતા હોય છે. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યુ છે. આજે સવારે 8 વાગ્યે ગબ્બર પર્વત ઉપરથી મા અંબાની અખંડ જયોત લાવીને શક્તિદ્વાર પર મા અંબાની મહાઆરતી કર્યા બાદ મા અંબા હાથી ઊપર સવાર થઈને અંબાજી નગરની પરિક્રમા કરશે. અંબાજી મંદિરમાં શાકભાજીનો અન્નકૂટ અને 56 ભોગની મીઠાઈનો અન્નકૂટ પણ યોજાશે.

પોષ મહિનામાં આઠમથી પૂનમ સુધી શાકંભરી નવરાત્રિનો અનેરુ મહત્વ હોય છે. જેમાં મા અંબાને શાકભાજીનો શણગાર કરવામાં આવે છે. અંબાજી મંદિરમાં મા લખેલા ફૂલોના શણગારને જોઈને ભક્તો માની આરાધના કરતા જોવા મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.