ઇકબાલગઢના ખેડૂતો દ્વારા વીજ કાપથી કંટાળી વીજ કંપનીની કચેરીમાં ધસી આવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અમીરગઢ : અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ખેડૂતો વીજળીના પ્રશ્નોને લઈ ઈકબાલગઢ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની કચેરીમાં પહોંચી આવ્યા હતા ને વિદ્યુત વિભાગના એન્જિનિયર આવેદન પત્ર પાઠવ્યું હતું.પોતાના વિસ્તારમાં સમય સર લાઇટની વ્યવસ્થા રહે એવી માંગણી કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આઠ કલાક ની જગ્યાએ અવારનવાર કાપ મૂકી ને ખેડૂતો ને હેરાન પરેશાન કરી રહ્યા છે ને ફોન કરી ને પૂછવામાં આવે તો અધિકારીઓ જવાબ પણ આપતા નથી. આવી ઘોર બેદરકારીના કારણે ચારથી પાંચ કલાકજ વીજ પુરવઠો મળે છે અગાઉ સમયમાં જો ખેડૂતોને પૂરેપૂરી વીજ સમય સર નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉરચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.