ભાભર માર્કેટયાર્ડમાં બીજી ટર્મની ચેરમેન ની ચુંટણી ને લઈ રાજકીય ગરમાવો

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતોના હિત માટે, ખેડૂતોના રક્ષણ માટે રચાયેલી સંસ્થા છે પરંતુ વર્તમાન સમય માં ખેડૂતો કરતા રાજકીય હિતને વધારે મહત્વ આપવામાં આવે છે અને આવી સંસ્થાઓ મોટા ભાગે રાજકીય હાથા બની જાય છે ત્યારે યોજાનારી ચૂંટણીમાં ખેડૂતોના હિતોને ધ્યાનમાં લેવાશે કે પછી રાજકીય પક્ષોના સમીકરણો સચવાશે. ભાભર માર્કેટ યાર્ડમા ખેડૂત સભ્ય ૧૦, વેપારી ૪ ખરીદ વેચાણ વિભાગ ૨, નગરપાલિકા ૧ અને સરકાર શ્રીના ૨ એમ કુલ ૧૯ સભ્યો છે જેમાં એક સભ્ય મૃત્યુ પામેલ છે.માર્કેટ યાર્ડમા ૬ ટર્મથી લાલજીભાઈ પટેલ ચેરમેન તરીકે કાર્યરત છે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત બહુમતી થી સભ્યો ચુંટાયેલા છે પારદર્શક વહીવટ જરૂરી છે. ડિરેક્ટર એ જણાવ્યું હતું કે આજે પાર્ટીની ગાઇડ લાઇન મુજબ સેન્સ પ્રક્રિયા થયેલ છે. ભાજપ પાર્ટી નક્કી કરશે તેને ચેરમેન તરીકે ચૂંટવામાં આવશે અને ખેડૂતોના હિતમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા નિર્ણય લેવામાં આવે આ અંગે પૂર્વ ચેરમેન જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જેને પણ મેન્ડેડ આપશે તેને શિરોમાન્ય ગણી આવકારવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.