વડગામમાં વિશ્વ આદિવાસી દિવસે પ્રશ્નોને લઈ મામલતદરને આવેદન

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામમાં ગતરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માર્કેટયાર્ડ થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં આદિવાસી દિવસની રેલી યોજાઇ હતી. જેમાં વિવિધ પ્રશ્નોને લઈ વડગામ મામલતદરને આવેદનપત્ર અપાયું હતું તેમજ માંગો પુરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે રેલી સ્વરૂપ આંદોલન કરાશે તેવી ચિમકી ઉચ્ચારાઇ હતી. વડગામમાં આદિવાસી દિવસની ઉજવણી કરવા માટે ગતરોજ હજારો લોકો લાલજી મામા માર્કેટયાર્ડમાં ભેગા થયા હતા. આદિવાસી ઉજવણીના ભાગરૂપે યુવાનો અને બહેનો આગેવાનોના માર્ગદર્શન હેઠળ લાલજી મામા માર્કેટયાર્ડથી લઈ વડગામ મામલતદાર કચેરી સુધી ડીજેનાં તાલ સાથે શાંતિપૂર્ણ રીતે રેલી નીકાળી હતી અને આદિવાસી લોકોના વિવિધ પ્રશ્નોની રજૂઆત સરકાર સુધી પહોંચાડવામાં આવે તે હેતુથી વડગામ મામલતદાર એ.એમ.અમીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આદિવાસી લોકોને સરકાર જોડે પડતર પ્રશ્નોના ઝડપીમાં ઝડપી નીકાલ કરી માંગો પુરી કરવામાં આવે એવી આદિવાસી સંગઠનના પ્રમુખ નારણભાઈ ડીયા દ્વારા જણાવાયું હતું. જો અમારી માંગો પુરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે રેલી સ્વરૂપ આંદોલન કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.