લોકમાતા બનાસને ખળખળ વહેતી જોવા લોકો હિલ્લોળે ચડયા
બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ પાંચ વર્ષ બાદ છલકાતા બુધવારના બપોરે બનાસ નદીમાં પાણી છોડવામાં આવતા સમગ્ર બનાસવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો ત્યારે બનાસ નદીનું પાણી વહેણ આગળ વધતું ગયું તેમ તેમ લોકોનો ઉત્સાહ પણ બેવડાવ્યો હતો. ખળખળ વહેતી લોકમાતા બનાસ ને જોવા ઠેર ઠેર લોકો હિલોળે ચડ્યા હતા અને નદી ના વધામણા કર્યા હતા ઢબુકતા ઢોલે ગ્રામજનો નદી એ પહોંચ્યા હતા અને લોકમાતા બનાસ ના પાણી પુજન અર્ચન કર્યું હતું બનાસ નદી વહેતી થતા ખેડૂતોમાં પણ ખુશાલી વ્યાપી ગઈ હતી. આગામી સમયમાં ભુગર્ભ જળને મોટો ફાયદો થવાની શક્યતાઓ જોવાઈ છે. પાંચ વર્ષ બાદ નદીમાં પાણી
છોડવામાં આવતા આજુબાજુના ગામોના લોકો નદી જોવા આવતા નદીના કિનારે માનવ મહેરામણ ઉમટયો હતો.
ડીસાના બનાસ નદીના બ્રિજ પર ૧૭ કલાકે પાણી પહોંચ્યું દાંતીવાડા ડેમમાંથી છોડાયેલું પાણી વહેલી સવારે ૬ઃ૦૦ કલાકે ડીસા નજીકના બનાસ બ્રિજ પર પહોંચ્યું હતું ૧૭ કલાકના સમય બાદ પાણી ડીસાની નદીમાં આવી પહોંચ્યુ હતું.
રખેવાળ દ્વારા જનહિતમાં અપીલ કરવામાં આવે છે કે બનાસ નદીમાં મોટા મોટા ખાડા હોવાના કારણે લોકોને નદીમાં ન જવા અને પાણીના પ્રવાહમાં ન ઉતરવા અપીલ કરવામાં આવે છે.