પાંથાવાડા પોલીસ દ્વારા પરિવારથી એકલા રહેતા બાળકો સાથે સેમિનાર યોજ્યો
જિલ્લા પોલીસ વડા દ્વારા શરુ કરવામાં આવેલ માનવીય અભિગમની નવી પહેલની શરૂઆત કરાઈ: બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા બાળકો ની સુરક્ષા ને લઈને માનવીય અભિગમ સાથેની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. પાંથાવાડા પોલીસ દ્વારા એસ.એસ.વિદ્યા સંકુલ ખાતે હોસ્ટેલ માં રહેતા બાળકો ને સુરક્ષા નો અહેસાસ કરાવવા માં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં ૫ રિવારથી અલગ રહેતા અને પરિવારમાં માતા પિતા નોકરી ધંધાર્થે દિવસ દરમ્યાન ઘરની બહાર રહેતા હોય અને બાળકો ઘરે એકલા રહેતા પરિવારો નું રજીસ્ટ્રેશન કરી બાળકો ને સુરક્ષાનો અહેસાસ કરાવવા સેમિનાર યોજવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા એ માનવનીય અભિગમ અપનાવી પરિવારથી અલગ રહેતા બાળકો માટે એક નવીન ૫હેલ શરૂ કરવામાં આવી છે.
જેને લઈને પાંથાવાડા પોલીસ દ્વારા એસ.એસ.વિદ્યા સંકુલ પાંથાવાડા ખાતે હોસ્ટેલમાં રહેતા બાળકો સાથે સેમિનાર યોજવામાં આવ્યો હતો પાંથાવાડા પીએસઆઈ એ.બી.દત્તા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સેમિનારમાં એસ એસ વિદ્યા સંકુલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા બાળકો સાથે પોલીસે ચર્ચા કરી અને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો જેમાં પાંથાવાડા પોલીસ દ્વારા બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગેની જાણકારી આપવામાં આવી હતી તેમજ બાળકોને કોઈ જ પ્રકારની મુશ્કેલી હોય તો તે પોલીસ સાથે વાતચીત કરી શકે છે પોલીસ દ્વારા પણ તેમને સુરક્ષાનો અહેસાસ કરી અને બાળકો સાથે સંવાદ કર્યો હતો.
જોકે પોલીસના આ માનવનીય અભિગમને લઈ અને સમગ્ર જિલ્લામાં જિલ્લા પોલીસ વડાની આ નવીન પહેલને લોકો બિરદાવી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર ને સાર્થક કર્યું છે.આ સેમિનારમાં એસ એસ વિદ્યા સંકુલ ના કેમ્પસ ડાયરેક્ટર સહિત પાંથાવાડા પોલીસ મથકનો સ્ટાફ તેમજ એસ એસ વિદ્યા સંકુલ ના હોસ્ટેલ ના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.