અમીરગઢ માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી માટી મેરા અભિયાનમાં અમીરગઢ સરકારી વિનયન કૉલેજનાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા હાથ માં દીવા અને માટી લઈ પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી તેમજ દેશમાં વીર શહીદોને બિરદાવવામાં આવ્યા હતાં, તેમને અંજલી આપવામાં આવી હતી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. મંજુલાબેન પરમાર,એન.એસ.એસ. કૉ-ઓર્ડિનેટર, સ.વિ.કૉ., અમીરગઢ, પ્રો. મુકેશકુમાર આઢા, ડૉ. હિરેન ચૌધરી, ડૉ. નિતીન જાદવ, પ્રો. ફરહિના શેખ, ડૉ. મહેશ પ્રજાપતિ, ડૉ. વર્ષા ચૌધરી , પ્રો. ભુપેન્દ્ર ચડોખિયા ઉપસ્થિત રહ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. નરેશ જોષી, મેરી માટી મેરા દેશ અભિયાન, કૉ-ઓર્ડિનેટર દ્વારા કોલેજના આચાર્ય એન. કે. સોનારા સાહેબના માગૅદશૅનમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૉલેજનાં સમગ્ર સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.