પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ વિદ્યાર્થીઓને તુલસી પૂજનના સંકલ્પ અપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ વિભાગોમાં આજ રોજ તુલસી છોડ વિતરણ અને વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલની સાળવી પ્રા.શાળા, કે.કે.ગોઠી હાઇસ્કૂલ અને સ્વસ્તિક મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજની દીકરીઓ સહિત ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓને તુલસીનો છોડ આપી, તુલસીના છોડને પોતાના ઘરે વાવીને તેનું જતન સાથે પૂજા કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કાર મળી રહે એવા શુભાશય સાથે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન શાળા નિયામક,હાઇસ્કૂલ વિભાગ આચાર્ય,મહિલા કોલેજના આચાર્ય પ્રાથમિક વિભાગના આચાર્ય,ઉપાચાર્ય તેમજ તમામ સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.