![palanpur](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/33e97af6-180a-4db1-a49c-f5ac9f5b8059.jpg)
પાલનપુર ચોકસી બજાર સવારે ૮ થી ૨ વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોશિયેસન દ્રારા પાલનપુરના સોની બજારમા વધતા જતા કોરોના કેસોને લઇને પાંચ દિવસ સુધી દુકાનો સવારે ૮ થી બપોરે ૨ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાલનપુરમા ચોકસી બજારમાં કોરોના એ એન્ટ્રી કરી છે. ત્યારે ચોકસી બજાર માં કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે આજ રોજ પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોશિયેસનની કારોબારીની અરજન્ટ મીટીંગ બોલાવી હતી. જેમા મંગળવાર થી શનિવાર સુધી તમામ દુકાનો સવારે ૮ થી ૨ વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો.