![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/પાલનપુર-બિહારી-બાગ-થી-હનુમાન-હેડ.jpg)
પાલનપુર બિહારી બાગ થી હનુમાન ટેકરી રસ્તાનું રીપેરીંગ કામ હાથ ધરાયું : “રખેવાળ”માં પ્રસિદ્ધ કરતા તંત્ર સફાળું જાગ્યું
પાલનપુર બિહારી બાગ થી હનુમાન ટેકરી જવાના માર્ગ પર વચ્ચે ડામરના ગઠ્ઠા જામી જતા અકસ્માત થવાની ભીતિ અંગેનો અહેવાલ રખેવાળમાં પ્રસિદ્ધ કરાતા કુંભકર્ણની ગાઢ નિદ્રામાં તંત્ર આખરે સફાળું જાગ્યું હતું. તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય શહેર ગણાતા પાલનપુર શહેર ના આબુ હાઇવેથી હજારો વાહનો રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરે છે. જેમાં પાલનપુર બિહારી બાગથી હનુમાન ટેકરી સુધીના માર્ગ ઉબડખાબડ થઈ ગયો છે જેના કારણે ડામરના ગઠ્ઠા રોડ ઉપર જામી ગયા છે. જેથી આ માર્ગ ઉપરથી ચાલતા વાહન ચાલકોના વાહનો પલટી ખાઈ જવાની ભીતિ સેવાઇ રહી છે. તાજેતરમાં તો એક યુવક બિહારી બાગથી હનુમાન ટેકરી જતી વખતે આ માર્ગ પરથી પસાર થતા અકસ્માત થતો થતો બચી ગયો હતો.
જેથી આ બિસ્માર માર્ગનો અહેવાલ “રખેવાળ”માં પ્રસિદ્ધ કરતા તંત્ર સફાળું જાગ્યું હતું અને રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવતા વાહનચાલકો સહિત સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.