રાજ્યપાલના પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન કાર્યક્રમને બનાસકાંઠા જિલ્લામાં 53,280 થી વધુ ખેડૂતોએ નિહાળ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં રાજ્યપાલના પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન કાર્યક્રમને 53,280 થી વધુ ખેડૂતોએ નિહાળ્યો છે જેમાં ખેડૂત તાલીમ કેન્દ્ર, બીઆરસી- સીઆરસી સેન્ટર, પ્રાથમિક શાળાઓ, ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ સેન્ટરો તથા યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ નિહાળી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે બન્યા છે.રાજ્યપાલના પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક શિબિરો ખાતે, ખેડૂત તાલીમ કેન્દ્ર, બીઆરસી- સીઆરસી સેન્ટર, પ્રાથમિક શાળાઓ, ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ સેન્ટરો તથા યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી 53,280 થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ નિહાળી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે સંકલ્પબધ્ધ બન્યા છે. રાજ્યપાલ દ્વારા અપાયેલ પ્રાકૃતિક કૃષિના માર્ગદર્શનથી ખેડૂતો જીવામૃત બનાવી ખરીફ ઋતુમાં તેનો ઉપયોગ કરનાર છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પલગે બનાસકાંઠા જિલ્લામાં 963 ગ્રામ પંચાયતો પૈકી 552 ગ્રામ પંચાયત વિસ્તારમાં 75 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થયા છે અને 31,000 ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.