થરાદના ડુવાની સીમમાં નંદીના મોઢા પર કોદાળી ઝિંકી દિધી નરાધમ સામે જીવદયાપ્રેમીઓમાં આક્રોશ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના ડુવાની સીમમાં કોઇ નરાધમ દ્વારા નંદી પર કોદાળી વડે હુમલો કરી.ગંભીર ઇજા પહોંચાડતાં જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી ઉઠી છે. રાક્ષસીકૃત્ય કરનાર સામે કડક પગલાં ભરવાની જીવદયાપ્રેમીઓમાં માંગ ઉઠી છે. થરાદના ડુવા ગામની સીમમાં એક નંદી મહારાજ મોં ના ભાગે કોદાળી ખુંપેલી હાલતમાં જોવા મળતાં ગ્રામજનો દ્વવી ઉઠ્યા હતા.આથી જીવદયાપ્રેમીઓએ તપાસ કરતાં નંદીને પીઠ અને પાછળના ભાગે પણ બે ત્રણ ઘા જોવા મળ્યા હતા. ત્યાર બાદ મોં પર કોદાળી મારી હોવાનું પ્રતિત થતું હતું.આથી લોકોમાં ભારે રોષ સાથે આક્રોશની લાગણી પ્રસરવા પામી હતી. ગૌપ્રેમીઓએ જણાવ્યું હતું કે અગાઉ પણ આવું કૃત્ય કોઈ નરાધમ વારંવાર કરે છે. અગાઉ પણ ત્યાં એક નંદીને કરંટ મારી મોતને ઘાટ ઉતારાયો અને અમુક વાર ગાયોને કતલખાને પહોંચાડવાના પણ સમાચાર આવે છે માટે વારંવાર આવા બનાવો બને છે. આ બનાવ ફરી ન થાય તે માટે દરેક ગૌસેવકો, ગૌરક્ષકો અને આજુબાજુના ગૌપ્રેમી લોકો બહોળી સંખ્યામાં ગુરુવારે ગામમાં જઈ નરાધમને કાયદા મુજબ દંડ આપી કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.