![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/થરાદની-મુખ્ય-નર્મદા-નહેરમાંથી-વાવના-યુવકનો-મૃતદેહ-2.jpg)
થરાદની મુખ્ય નર્મદા નહેરમાંથી વાવના યુવકનો મૃતદેહ મળતાં અરેરાટી
(રખેવાળ ન્યૂઝ) થરાદ, વાવ હાઇવે પરથી પસાર થતી થરાદની નર્મદા નહેરમાંથી તરતા જઇ રહેલા એક અજાણ્યા મૃતદેહ પર રાહદારીઓની નજર પડી હતી. આથી આ અંગે જાણ કરાતાં દોડી આવેલા નગરપાલિકાના તરવૈયા સુલતાનમીરે મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતક યુવક વાવનો હોવાનું જાણવા મળતાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.આથી તેના પરિવારજનો કેનાલ પર દોડી આવ્યા હતા. બનાવને પગલે કેનાલ પર લોકોનાં ટોળાં એકઠાં થવા પામ્યાં હતાં.
ઘટના આકસ્મિક છે કે આત્મહત્યાની કે અન્ય કોઇ કારણને લઇને અનેક તર્કવિતર્કો ચર્ચાસ્પદ બન્યાં હતાં. બનાવને પ ગલે પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરવા અંગે પાલિકાના ફાયર ઓફિસર વિરમ રાઠોડે જણાવ્યું હતું કે રાહદારી અને તેના સાથી મિત્રોએ તેને ડૂબતા જાેયો હતો આથી ફાયર વિભાગને જાણ કરી હતી. તેની શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો હતો.
તેની ઓળખ વાવના નવી બજારમાં રહેતા ટીનાભાઈ પશાભાઈ ઠાકોર ઉંમર ૩૨ અપરણિત હોવાનું જાણવા મળ્યું હતું.મૃતદેહ તેના પરિવાર સોપવામાં આવ્યો હતો.