![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/પાલનપુર-એરોમાં-સર્કલ-પર-hed.jpg)
પાલનપુર એરોમાં સર્કલ પર : અમદાવાદ તરફથી આવી રહેલ ટ્રક ખાડામાં પડતા જ પલટી
અમદાવાદ તરફથી આવી રહેલી ટ્રક ખાડામાં પડ્યા બાદ પલટી, સદનસીબે જાનહાનિ ટળી પાલનપુર એરોમાં સર્કલ પાસે એક ટ્રક પલ્ટી ખાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. એરોમાં સર્કલ પર તંત્ર દ્વારા રેલિંગ હટાવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજે સવારે અમદાવાદ તરફથી આવી રહેલ ટ્રક ખાડામાં પડતા જ પલટી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની તપાસ હાથ ધરી છે.
પાલનપુર એરોમાં સર્કલ પર ટ્રાફિક સમસ્યા વધતી જોવા મળી રહી છે. સ્થાનિક સંસ્થાઓ સહીત આગેવાનો દ્વારા ટ્રાફિક સમસ્યાઓને લઈ રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ ટ્રાફિક સમસ્યા હલ થઈ નથી.હવે તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સર્કલની રેલિંગ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં વહેલી સવારે અમદાવાદ તરફથી આવી રહેલી એક ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ખાબકી હતી.વહેલી સવાર હોવાના કારણે એરોમાં સર્કલ પર ટ્રાફિક ના હોવાથી સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી.