પાલનપુર ખાતે NSUI નું વિરોધ પ્રદર્શન : પોલીસે કરી અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર  : કોરોના મહામારી વચ્ચે જેઈઈ-નીટની પરીક્ષાઓ મુલત્વી રાખવા તેમજ શાળાઓ બંધ હોવાથી વિધાર્થીઓની ૬ મહિનાની ફી માફ કરવાની માંગ સાથે પાલનપુર ખાતે એન.એસ.યુ.આઈ.એ ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, પોલીસે કાર્યકરોની અટકાયત કરતાં ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી.
પાલનપુર કલેકટર કચેરી બહાર કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ દ્વારા કોરોના મહામારીને લીધે જેઈઈ-નીટની પરીક્ષાઓ મુલત્વી રાખવા તેમજ શાળાઓ બંધ હોવાથી વિધાર્થીઓની ૬ મહિનાની ફી માફ કરવાની માંગ સાથે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસે કાર્યકરોની અટકાયત કરતાં ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી. જો કે, કોઇ ન્યાય નહી મળે તો આગામી સમયમાં વાલીઓ સાથે રહીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ નીતિન પટેલ દ્વારા ઉચ્ચારવામા આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.