ડીસા તાલુકાના આસેડા ગામે અજાણ્યા ઇસમો દ્વારા બંદૂકના ભડાકે નીલગાયની હત્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ : ડીસા તાલુકાના આસેડા ગામમાં ગતરોજ અજાણ્યા ઇસમો દ્વારા બંદૂકના ભડાકે અબોલ પશુ નિલગાયની હત્યા કરતા સમગ્ર પંથકમાં અસામાજિક તત્વો પ્રત્યે ફીટકારની લાગણી વરસી રહી છે.
આ અંગે ફોરેસ્ટ વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ડીસા તાલુકાના આસેડા ગામ ના પ્રજાપતિ શાંતિભાઈ ચહેરાભાઈના ખેતરમાં નીલગાયનો શિકાર કરી હત્યા કરેલ હોવાની પાલનપુર ડિવિઝનને મેસેજ મળતા ત્યારે નાયબ વન સંરક્ષક સામાજિક વનવિભાગના શ્રીમતી બી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ અમીરગઢ આર.એફ.ઓ ભરતભાઇ ચૌધરી તથા આર.એફ.ઓ ડીસાના લાલજીભાઇ રાયડા તથા વનપાલ આઇ.સી રબારીએ તાત્કાલિક આસેડા ગામમાં જઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નિલગાયના મૃતદેહનો કબજાે મેળવી વેટરનરી ડોક્ટર દ્વારા પીએમ કરાવી નીલગાયના મૃતદેહની દફનવિધિ કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરી ગુનેગારોને ઝડપી પાડવા કવાયત તેજ કરી છે. અબોલ પશુ ની હત્યાના બનાવને લઇ જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી છે ત્યારે આવા તત્વો ને સખ્ત સજા કરવા માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.