થરાદના સેદલા ગામમાં નીલગાયને તાર વડે લાકડું બાંધી ફાંસો આપીને હત્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ તાલુકાના સેદલા ગામના ઉગમણી સીમમાં કોઈ અજાણ્યા વ્યકિત દ્વારા નીલગાયને ગાળીયો બાંધી મોતને ઘાટ ઉતારવામાં આવતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. ગ્રામજનોમાં કાર્યવાહીની માંગ ઉઠતાં વનવિભાગે તપાસ હાથ ધરી હતી.ઉગમણી સીમમાં કોઇ શખસ દ્વારા નીલગાયને ગળે તારના વાયરથી ફાંસો આપવામાં આવ્યા બાદ તેના એક છેડે મોટું લાકડું બાંધી દેવામાં આવ્યું હતું. જીવ બચાવવા દોડતી નીલગાય લાકડું જ્યાં ત્યાં અટકાય ત્યાં ગાળીયો વધુ મજબુત બનતાં આખરે તરફડીને મોતને ભેટી હતી. ગ્રામજનોએ અગાઉ પણ આવી રીતે ત્રણથી ચાર વખત નીલગાયની હત્યા કરવામાં આવી હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે અગાઉ બે વખત નીલગાયને આવી રીતે મરતી બચાવવામાં આવી હતી. આવા અસામાજિક શખસને શોધીને તેની સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી હતી.આરએફઓ સેજલ ચૌધરીએ કાર્યવાહી કરી નીલગાયના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો. સરપંચ સિધ્ધરાજસિંહ, આગેવાન નરસુગજી, જીવદયા પ્રેમીઓમાં દિનેશભાઈ, મોતીભાઈ, બજરંગ દળના કાર્યકરો દોડી આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.