![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/30-1.jpg)
થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં ઝંપલાવતાં નારોલીના યુવકનું મોત
થરાદમાંથી નર્મદાની મુખ્ય નહેરમાંથી નારોલીના યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચવા પામી હતી. તરવૈયા દ્વારા શોધખોળ બાદ બહાર કાઢી તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.જો કે પરિણીત અને બે બાળકોના પિતા એવા આ યુવકે કયા કારણોસર મોતને વ્હાલું કર્યું તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું.રાજસ્થાનના છેવાડાના રડકા ગામમાં થરાદ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં બુધવારના સુમારે એક યુવક કોઇ કારણોસર કેનાલમાં પડ્યો હોવાનું જાણવા મળતાં આજુબાજુના લોકોએ જાણ કરતાં તરવૈયાઓ દ્વારા ચાર કલાકની ભારે જહેમત બાદ શોધખોળ મુખ્ય નર્મદા કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
જેનું પટેલ ઈશ્વરભાઈ દેવરામભાઈ ઉમર વર્ષ આશરે 29 ગામ નારોલી 2 બાળકોનો પિતા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતદેહને બહાર નિકાળી તેમના વાલીવારસને સોંપવામાં આવ્યો હતો.આ બનાવને પગલે અરેરાટી પ્રસરી જવા પામી હતી.