ઈકબાલગઢમાં પત્ની સાથે ગરબા જોવા ગયેલા પતિની હત્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

અહેવાલ :- ઇમરાન લુહાર (ઈકબાલગઢ)

બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢમાં નવરાત્રિ દરમિયાન ગરબા જોવા ગયેલા એક યુવકની હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. દંપતી ગરબા જોવા ગયૂં હતું ત્યારે પત્ની સામે ત્રણ યુવકો જોઈ રહ્યા હોય દંપતી ત્યાંથી નીકળી ગયું હતું. ત્યારબાદ ત્રણેય યુવકોએ દંપતીનો પીછો કરતા પતિએ ત્રણેયને ટપાર્યા હતા. જેથી ઉશ્કેરાયેલા ત્રણ યુવકોએ હુમલો કરતા પતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલીક તેને સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું.

દીપાભાઈ વાંસીયા નામનો યુવક ગતરાત્રિએ તેની પત્ની સાથે ઈકબાલગઢમાં ગરબા જોવા માટે ગયા હતા. ગરબા જોતા સમયે કેટલાક ઈસમો દ્વારા દીપાભાઈની પત્નીને જોતા હતા. જેથી દીપાભાઈ પોતાની પત્ની લઈ ઘર તરફ જવા નીકળ્યો હતો. ત્યારબાદ ત્રણ યુવકોએ પણ દંપતીનો પીછો કર્યો હતો જેથી દીપાભાઈએ ત્રણેયને પૂછ્યું હતું કે, મારી પત્ની સામે કેમ જોતા હતા અને અમારો પીછો શા માટે કરો છો? બાબતથી ઉશ્કેરાયેલા ત્રણ શખ્સો પૈકીના એક શખ્સે પોતાની પાસે રહેલી છરીથી હુમલો કર્યો હતો જ્યારે અન્ય બેએ ગદડાપાટુનો માર મારતા દીપાભાઈને ગંભીર ઈજા પહોંચી હતી.

સ્થાનિક લોકો ભેગા થતા ત્રણેય યુવકો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. સ્થાનિકોએ દીપાભાઈને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા પરંતુ, તેનુું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. આ મામલે ચંદુભાઈ ગેનાભાઇ પરમાર રબારણ ગામ અમીરગઢ, અજમલભાઈ કેવળાભાઈ પરમાર,રબારણ ગામ અમીરગઢ અને મુકેશભાઈ સાયબાભાઈ વાંસીયા, રબારણ ગામ અમીરગઢ સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.