પાલનપુર તાલુકાના સેમોદ્રા ખાતે અક્ષત તેમજ આમંત્રણ સ્વીકારવા 3000 થી વધુ લોકો પહોચ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

અયોધ્યા રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે તેને લઈને સમગ્ર દેશમાં લોકો ઉત્સાહિત છે દેશભર માં અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ અયોધ્યામાંથી ભક્તો માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જે આમંત્રણ ને લઈને લોકો ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે જેમાં પાલનપુર તાલુકાના સેમોદ્રા ખાતે અક્ષત તેમજ આમંત્રણ સ્વીકારવા 3000 થી વધુ લોકો પહોચ્યા હતા.

પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામે અયોધ્યાથી અક્ષત તેમજ આમંત્રણ પત્રિકા આવતા સમગ્ર ગામના 3,000 થી વધુ વડીલો યુવાનો બહેનોએ ઢોલ નગારા સાથે આમંત્રણનું સ્વીકાર કરવા માટે પહોંચ્યા હતા. જય શ્રી રામના જય ઘોષ સાથે સેમોદ્રા ગામમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો હાથમાં ધજાઓ સાથે જય શ્રી રામના જય ઘોષ સાથે ગામના 500 થી વધુ લોકો વડગામ પહોચી આમંત્રણ પત્રિકા તેમજ અક્ષત લઇ સેમોદ્રા ગામે પહોંચતા સાધુ સાંતો તેમજ ગામના હિન્દુ સમાજ ના લોકોએ આમંત્રણ પત્રિકા ને સ્વીકારીને પૂજા અર્ચના પણ કરી હતી સમગ્ર ગામ રામ નાં નામે રંગાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.