દાંતા ખાતે મહારાજા રીધ્ધીરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં ‘મારી માટી – મારો દેશ’ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા તાલુકાનો તાલુકા કક્ષાનો ‘મારી માટી – મારો દેશ’ કાર્યક્રમ સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે મહારાજા રીધ્ધીરાજસિંહ પરમાર, દાંતા સ્ટેટ ની અધ્યક્ષતામાં દેશભક્તિના માહોલમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિલાફલકમનું અનાવરણ, શહિદ વિરોના પરિવારજનો નું સન્માન તેમજ વસુધા વન અંતર્ગત વૃક્ષા રોપણ જેવા વિવિધ કાર્યક્રમોની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. મહારાજા રીધ્ધીરાજસિંહ પરમાર, દાંતા સ્ટેટ દ્વારા તિરંગો ફરકાવી ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. તેમજ મારી માટી મારો દેશ અંતર્ગત હાથમાં માટી લઈ ઉપસ્થિત સૌ દ્વારા પંચ પ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તો વિવિધ શાળાકીય પરીક્ષાઓ અને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.