આબુરોડની માનપુર બનાસ નદીમાં ગણપતી વિસર્જન સમયે યુવક ડૂબ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અમીરગઢ : અત્યારે ચાલી રહેલા ગણપતિ પર્વની ઉજવણીમાં લોકો મશ ગુલ થઈ રહ્યા છે. અને ધૂમધામથી ગણપતિ ની સ્થાપના કરી પૂજા અર્ચના કરીને ગણપતિ ને રીજવી રહ્યાં છે. ૫ કે ૭ દિવસની સ્થાપના બાદ આ પર્વની પૂર્ણાહુતી ગણપતિને વિસર્જન કરીને કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે ગણપતિ વિસર્જન સમયે આબુરોડની માનપુર બનાસ નદી માં ગઈકાલે સવારે યુવક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. મળતી માહતી પ્રમાણે ગઈકાલે ગણપતિ વિસર્જન કરતા યુવક ડૂબી ગયો હતો અને છેલ્લા ૨૪ કલાકથી એસ ડી.આર.ની ટીમ દ્રારા યુવકની શોધખોળ ચાલું હોવા છતાં હજુ સુધી સ્થાનિક તંત્રને કોઈ સફળતા મળી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.