શક્તિપીઠ અંબાજી મંદિરમાં સવારે 6 કલાકે મંગળા આરતી થઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે મા જગતજનની અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. આજે પૂર્ણિમા હોવાથી મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવવા અંબાજી પહોંચ્યા હતા.


રક્ષાબંધન અને પૂર્ણિમા હોવાના કારણે આજે વહેલી સવારથી જ માતાજીના મંદિરે ભક્તો ઉમટી પડ્યા હતા. આજે મા જગતજનની અંબાના મંદિરમાં મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચી આશીર્વાદ મોળવ્યો હતો. મોટાભાગે માઈભક્તો દર પૂનમે માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આજે રક્ષાબંધન અને પૂનમ હોવાના કારણે મોટી સંખ્યામાં વહેલી સવારથી મંદિરે ભક્તો ઉમટી પડ્યા હતા અને ‘જય જય અંબે બોલ મારી અંબે’ નાદ સાથે મંદિર પણ ગુંજી ઉઠ્યો હતો.આજે માતાજીની મંગળા આરતી વહેલી સવારે 6:00 કલાકે કરવામાં આવી હતી. તો મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઇભક્તો પહોંચી મંગળા આરતીનો લાભ લીધો હતો. આજે પૂર્ણિમા અને રક્ષાબંધનના કારણે મંદિરનો ચાચરચોક ભક્તોથી ઉભરાયું હતું. ત્યારે આજે માતાજીને સવારે બાલભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે માતાજીને રાજભોગ ધરાવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.