યાત્રાધામ અંબાજી મંદિરના સુવર્ણમય શિખરની કામગીરી માટે માઈભક્તે 67.96 ગ્રામ સોનુ દાન કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં ભક્તો દાન દિલ ખોલીને કરી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિરને સુવર્ણમય શિખર બનાવવાની કામગીરી માટે ભક્તો અંબાજી મંદિરમાં સોનાનું પણ દાન આપી રહ્યા છે.

શનિવારના દિવસે મા અંબાના એક માઇભક્ત દ્વારા સોનાનું દાન અંબાજી મંદિરમાં આપવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં સોનાની લગડી જેનું વજન 67.96 ગ્રામ હતું અને જેની કિંમત 4.89 લાખ છે. તે એક બરોડાના માઈભક્તે અંબાજી મંદિરમાં દાન કર્યું છે. અનેકો ભક્તોમાં અંબાના મંદિરને સુવર્ણમય શિખર બનાવવાની કામગીરી માટે સોનાનું દાન કરી રહ્યા છે. ત્યારે મા અંબાના એક માઇભક્તે 67.96 ગ્રામ સોનાનું દાન કર્યું હતું અને પોતાનું નામ ગુપ્ત રાખવાનો આગ્રહ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.