દાંતામાં સ્ટેટના રાજવી મહીપેન્દ્રસિંહ જી પરમારનું હાર્ટ એટેકના કારણે નિધન

બનાસકાંઠા
બનાસકાંઠા

આજરોજ દાંતાના રાજવી મહારાણા મહીપેન્દ્રસિંહજી પરમારનું નિધન થયું હતું. આજે વહેલી સવારે હૃદય રોગના મહારાણા મહીપેન્દ્રસિંહજી પરમારનું 75 વર્ષે નિધન થયું છે. દાંતાના રાજવી મહીપેન્દ્રસિંહ પરમારનું દુઃખદ નિધન થતા સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છવાઈ છે. દાંતા રાજવી પરિવારનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. દાંતા સ્ટેટના રાજવી મહીપેન્દ્ર સિંહજી પરમાર પોતાના વિસ્તારમાં વસવાટ કરતા લોકો સાથે ખૂબ જ પ્રેમ હતો. લોકો સાથે રાજવી અનેકો સેવાભાવી કાર્ય સાથે સંકળાયેલા હતા. યાત્રાધામ અંબાજી મંદિરમાં પણ દાંતાના રાજવી પરિવારોનો ઇતિહાસ ખૂબજ જૂનો છે. દાંતાના રાજવી મહારાણા મહીપેન્દ્ર સિંહજી પરમાર ઘોડોના ખૂબજ શોખીન હતા. સાથે સાથે રાજવી દ્વારા અનેકો સરાહનીય કામગીરી જનતા માટે કરી હતી. આજે એક અધ્યાયનો અંત થયો છે. આજે વહેલી સવારે દાંતા સ્ટેટના રાજવી મહીપેન્દ્રસિંહજી પરમારનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.