લમ્પી વાઈરસની એન્ટ્રી ? નાગલામાં ૧૨ પશુના ભેદી મોત
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લંમ્પી નામના વાયરસ રોગે પગ પેસારો કરતાંની સાથે જ પશુપાલકોમાં ચિંતા સતાવી રહી છે. જાેકે વાવ પાંજરાપોળમાં શંકાસ્પદ એક ગાયને જ્યારે થરાદના નાગલા ૧૦ જેટલા પશુઓને લંમ્પી નામના રોગે ભરડામાં લેતા ગૌશાળાના સંચાલોકોમાં દોડધામ મચી જવા પામી છે. તમામ પશુઓથી શંકાસ્પદ પશુઓને અલગ રાખવાની વ્યવસ્થા કરાઈ છે. જ્યારે ૭૦ જેટલા પશુઓને પ્રાઇવેટ ડોક્ટર દ્વારા વેક્સિકરણ કરાયું હતું. તેમ છતાં પણ ૧૨ જેટલા પશુઓનાં શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં સન્નાટો છવાઇ જવા પામ્યો છે. ગૌશાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે એક બાજુ પુરતું ઘાસ ગૌશાળામાં મળતું નથી. અને વધારામાં નવા વાયરસ રોગે પગપેસારો કરતાં સતત ચિંતા સતાવી રહી છે. આથી અમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ કે બનાસકાંઠામાં વધુ પશુઓને
ભરડમાં લે તેના પહેલાં પશુઓને રસીકરણ કરવામાં આવે તેવી અમારી માંગ છે. આ બાબતે પ્રાઇવેટ પશુ સર્જન ડોક્ટર રાણાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે બનાસકાંઠાના થરાદ વાવ વિસ્તારમાં શંકાસ્પદ કેસ નોંધાયા છે. અને આ વાયરસ રોગ ૧૦ થી ૧૫ દિવસ
જેટલો સમય રહે છે. જેમાં ૧૦% જેવો મૃત્યુદર પશુઓમાં રહે છે. જાેકે કોઈ પશુને આવો વાયરસની શંકાસ્પદ લાગે તો અન્ય પશુઓથી દુર રાખવા તેમજ તાત્કાલિક ડોક્ટરને જાણ કરવી વગેરેની બાબતનું ધ્યાન રાખવા માટે પશુપાલકોને સુચન કર્યું હતું.
નાગલા ગામે ગૌ શાળામાં બે વખત વિઝીટ કરી : પશુ ડોકટર
આ અંગે સરકારી પશુડૉક્ટર ડો.હીરાભાઈએ જણાવ્યું હતું કે શુક્રવારે પાલન પુરથી આવેલી ટીમ દ્વારા પશુઓનાં સેંપલ લેવાયાં છે.જ્યારે રાજસ્થાન બોર્ડર નજીક હોવના કારણે બોર્ડરની બે ગૌ શાળા સંચાલકોને રાજસ્થાનમાં લંપી નામનો વાયરસ હોવાના કારણે બનાસકાંઠામાં પશુઓ આવે ત્યારે એક અઠવાડિયું અન્ય પશુઓથી દુર રાખવા સુચના આપવામાં આવી છે. જ્યારે નાગલા ગામે ગૌ શાળામાં બે વખત વિઝીટ કરી છે. અન્ય પશુઓ સુરક્ષિત છે.નાના વાછરડામાં મૃત્યુદર હોય છે. આથી ગૌશાળા સંચાલકોએ પ્રાઇવેટમાં ખાનગીમાં વેક્સિકરણ કરાવીને પશુઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે.