બનાસકાંઠા જિલ્લામાં દાડમની ખેતીમાં લાખોનું નુકસાન

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા પંથકમાં મોટા પ્રમાણમાં દાડમની ખેતી કરવામાં આવે છે. આ લાખણી પંથકના દાડમ સમગ્ર દેશમાં વખણાય છે, જોકે, તાજેતરમાં જ ભારે પવન સાથે વરસાદ વરસતા દાડમની ખેતી કરતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. ભારે પવનના કારણે મોટાભાગના ખેડૂતોના દાડમના છોડ તૂટીને નીચે ધરાસાયી થઈ જતા હાલમાં ખેડૂતોને દાડમમાં મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં અનેક તાલુકામાં ખેડૂતો દાડમમાં સારી આવક થતા દાડમની ખેતી તરફ વળ્યા હતા. જિલ્લાના લાખણી, થરાદ અને દિયોદર વિસ્તારમાં ખેડૂતોએ દાડમની ખેતી કરી છે. પરંતુ વારંવાર કમોસમી વરસાદના કારણે તેમજ હાલ બિપરજોય વાવાઝોડાના પગલે ભારે પવન ફૂંકાતા દાડમના છોડ તૂટીને નીચે પડી ગયા છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જિલ્લાના લાખણી, દિયોદર અને થરાદ પંથકના 70 ટકા ખેડૂતો દાડમની ખેતીમાં દર વર્ષે લાખો રૂપિયાની આવક મેળવે છે. પરંતુ અત્યારે આ દાડમની ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક તાલુકાઓમાં ખેડૂતોને સૌથી મોટો નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.