પાલનપુર-ડીસા હાઇવે પર ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રસ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર ડીસા હાઈવે પર આવેલ શ્રીજી એપાર્ટમેન્ટનું ગંદુ પાણી હાઇવે પરના સર્વિસ રોડ ઉપર ઉભરાતા સ્થાનિકો સહિત વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યા હલ કરવામાં નહિ આવે તો સ્થાનિકોએ ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
પાલનપુર ડીસા હાઈવે નજીક આવેલ પરફેક્ટ રેસીડેન્સીના સોસાયટીના રહીશો છેલ્લા છ માસથી કલેકટરને આવેદન તેમજ રજૂઆત કરી થાકી ચૂક્યા છે. તેમ છતાં તેમના સોસાયટી બહાર શ્રીજી એપાર્ટનેન્ટનું વહેતું દૂષિત પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. જેને લઈ સ્થાનિકોએ સર્વિસ રોડ ઉપર આવી હોબાળો મચાવ્યો હતો. તેમજ તાત્કાલિક અસરથી દૂષિત પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો સોસાયટીની મહિલાઓ સહિત સ્થાનિકો હાઇવેનું ચક્કાજામ કરશે તેવી ચીમકી ઉતારી હતી. આ બાબતે સોસાયટીના પ્રદીપભાઈ તેમજ ડોક્ટર ચિરાગ ગોહિલએ જણાવ્યું હતું કે, છેલ્લા છ માસથી કલેકટરને રજૂઆત કરી છે. તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઇ અમારી સોસાયટીના નાના બાળકો આ દૂષિત પાણીને લઈ બીમાર થશે તો જવાબદારી કોણ લેશે? તેમજ દૂષિત પાણી છેક સર્વિસ રોડ ઉપર ૬૦૦- ૭૦૦ મીટર સુધી ઢીંચણ સુધી પાણી ભરાયું છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી અમારે જાતે જેસીબી બોલાવી પાણીનો માર્ગ કરવો પડે છે. જાે તાત્કાલિક અસરથી અમારી સમસ્યાનો નિવેડો નહીં કરવામાં આવે તો તમામ સોસાયટીની મહિલાઓ સાથે મળી હાઇવે ચક્કાજામ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.