પાલનપુરમાં દિવાળીના તહેવારને લઈ વાત્સલ્ય સેવા ટ્રસ્ટ દ્વારા અવનવા દીવડાનો ઝગમગાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

ગરીબ ઘરની તેમજ વિધવા,ત્યક્તા બહેનો દ્વારા દીવડાઓ અને સીરીઝ બનાવાઈ: દિવાળીનો તહેવાર એ રોશનીનો તહેવાર છે જેથી દરેકના ઘરમાં રોશનીથી ઝગમગાટ થાય તેવા ઉદ્દેશ્યથી અવનવી સંસ્થાઓ દ્વારા અસહાય બહેનોને સહાય મળી રહે તેમજ પોતાના પગ પર નિર્ભર રહે તેવા હેતુથી પાલનપુરના વાત્સલ્ય સેવા ટ્રસ્ટના પ્રમુખ જાગૃતીબેન મહેતાએ જણાવ્યું હતું કે ગરીબ,ત્યક્તા તેમજ અસહાય બહેનોને સહાય મળી રહે તે માટે દિવાળીમાં વપરાતી અનેક ચીજવસ્તુઓ હાથ બનાવટથી બનાવવામાં આવે છે.

જેમાં માટીના કોડીયા,નારીયેળમાંથી બનાવવામાં આવતી સિરીજો જેવી અનેક ચીજવસ્તુ બનાવી વેચાણ કરવામાં આવે છે. આ વેચાણ કરી મહિલાઓને પગભર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લા સાત વર્ષથી કાર્યરત વાત્સલ્ય સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ અને વિધવા મહિલાઓ પગભર બની રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.