પાલનપુરના જીવદયા પ્રેમીઓએ રાજપુર પાંજરાપોળમાં રૂ. 72 હજાર દાન આપ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના પલ્લવીયા પાર્શ્વનાથ જીવદયા અભિયાન ગ્રુપ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યું છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષ થી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી સમાજ સેવાની સુવાસ પ્રસરાવનાર શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ જીવદયા અભિયાન ગ્રુપ ડીસાના રાજપુર પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા પશુઓના નિભાવ માટે રૂ.72 હજારનું દાન અર્પણ કરવામાં આવ્યું છે. પાલનપુરમાં ઉનાળામાં પક્ષીઓને પાણી કુંડા, શ્વાન માટે ચાટ, મેરવાડા પાંજરા પોળ પશુઓને ખોરાક આપવો, શિયાળામાં શ્વાનોને શીરો, રોટલા, દૂધ આપવા જેવી સેવાભાવી પ્રવૃત્તિ ચલાવતા શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ જીવદયા અભિયાન ગ્રુપ દ્વારા કરુણા દિવસ નિમિત્તે વર્ષમાં એકવાર રાજપુર પાંજરાપોળ માટે ફંડ એકત્ર કરવાના આવે છે. જેમાં આ વર્ષે રૂ.67,500 ફંડ મળ્યું હતું. જેમાં રૂ .4500 ઉમેરી અને રૂ.72 હજાર રાજપુર પાંજરાપોળમાં ગ્રુપના મેમ્બર પ્રદીપભાઈ શાહ, બાબુલાલ શાહ, યજ્ઞેશભાઇ શાહ, જીગ્નેશભાઈએ, તરુણભાઈ શાહ, ભરતભાઈ વારીયા, રાજુભાઈ ઠક્કર વગેરે ટ્રસ્ટીઓને દાન સ્વરૂપે અર્પણ કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.