ગબ્બર પર દીપડો દેખાતા તંત્ર હરકતમાં :ફોરેસ્ટ વિભાગ દ્વારા ચારથી પાંચ પાંજરાઓ મૂકવામાં આવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

શક્તિપીઠ અંબાજી મંદિર દેશ-વિદેશમાં વિખ્યાત છે, ત્યારે મા જગતજનની અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં માઇભક્તો દૂર દૂરથી અંબાજી ખાતે આવતા હોય છે. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા જાય છે. ગબ્બર ખાતે આવેલા 51 શક્તિપીઠમાં નો લાભ પણ લેતા હોય છે. ગબ્બર પર્વત ચારે બાજુ પહાડીઓથી ઘેરાયેલું ભક્તિ અને સૌંદર્યનું સ્થળ છે.ગતરોજ અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વતની પહાડીઓમાં સવારે દીપડો નજરે પડ્યો હતો. ગબ્બર પર્વત પર લેબર કામગીરી કરતા લેબરોને દીપડો દેખાયો હતો. ત્યારે મોબાઈલથી તેમનો વીડિયો ઉતાર્યો હતો. અંબાજી ગબ્બર પર્વતની પહાડીઓમાં દીપડો દેખાતા દર્શનાર્થીઓ અને લોકોમાં ભય ભયનો માહોલ છવાયો છે. 51 શક્તિપીઠ પર પૂજારીઓ સહિત લેબર કામ કરતા લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. ત્યારે તમામ ઘટનાની જાણ વન વિભાગ અંબાજીને કરાતા વન વિભાગ એક્શનમાં આવી ગયું હતું.ગબ્બરની પહાડીઓઓમાં ગત સવારે દીપડો દેખાતા તંત્ર હરકતમાં આવ્યું છે. જેને લઇને ગબ્બરની પહાડીઓમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ચારથી પાંચ પાંજરાઓ મૂકવામાં આવ્યા છે. તો સાથે સાથે 51 શક્તિપીઠ પરિક્રમા પથ પર પુજારીઓ તેમજ દર્શનાર્થીઓને મોડી સાંજે અને વહેલી સવારે ચાલતા જવા માટે ટૂંક સમય માટે પ્રતિબંધ મૂકાયો છે. દર્શનાર્થીઓની સુરક્ષા અને સલામતીને લઈને તંત્ર એકશન મોડમાં નજર આવી રહી છે.ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગબ્બરની પહાડીઓમાં ટેપ કેમરા અને દીપડાના પદચિન્હની જાણકારી મેળવી દીપડાઓની દરેક મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. 24 કલાક વીતી ગયા હોવા છતાં હજી સુધી દીપડા વિશે કોઈપણ મૂવમેન્ટ આવી નથી. વન વિભાગની ટીમ સતત દીપડાને લઈ ગબ્બરની પહાડીઓમાં મોનીટરીંગ કરી રહી છે. વન વિભાગ દ્વારા આ ઓપરેશનમાં સફળતા મેળવ્યા બાદ ગબ્બરની પહાડીઓથી દીપડાનું રેસક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ હાથ ધરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.