પાલનપુરની તિરુપતિ સોસાયટીમાં શિવમંદિર ખાતે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આબુ હાઇવે સ્થિત આવેલ એક તિરૂપતિ સોસાયટીમાં ભોળાનાથ ના મંદિર ખાતે લઘુ રુદ્ર યજ્ઞ યોજાયો હતો. જેમાં યજમાનો એ યજ્ઞમાં આહૂતી આપી હતી. તેમજ સોસાયટીના ભાવિકભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.પાલનપુર આબુ હાઇવે પર આવેલ આવેલી સોસાયટી તિરુપતિ રાજનગર ખાતે શ્રાવણ માસના નિમિત્તે શિવ મંદિરમાં બે દિવસથી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે રાત્રે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ બીજા દિવસે લઘુ રુદ્ર યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવસ દરમિયાન હવન યોજાયો હતો. ત્યારબાદ સાંજે પૂર્ણાહુતિ કરી સોસાયટીના તમામ રહિશોએ પારિવારીક ભાવના કેળવી સાથે મળી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યુ હતુ. આ પ્રસંગે સોસાયટીના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય, મંત્રી સહિત સોસાયટીના રહીશો સ્થાનિક નગરસેવકો હાજર રહ્યા હતા.
જોકે આ અંગે સ્થાનિક અગ્રણી મનોજભાઈ ઉપાધ્યાય જણાવ્યું હતું કે તિરુપતિ રાજનગર પરિવાર દ્વારા તિરુપતિ મહાદેવ મંદિર સાનિધ્યમાં લઘુરુદ્ર યજ્ઞનો પ્રતિષ્ઠા મહોત્સવ દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે સોસાયટીના તમામ લોકો ધાર્મિક રીતે એકબીજાની સાથે સંકળાયેલા રહે ધાર્મિક પ્રવૃત્તિઓ વધે તેના હેતુસર આયોજન હરવશે કરવામાં આવે છે.