જીવદયા પ્રેમીઓએ પાલનપુર નજીકથી કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

જીવદયા પ્રેમીઓને ગત મોડી રાત્રીએ બાતમી મળી હતી કે રાજસ્થાનથી પાલનપુર તરફ એક ટ્રકમાં બકરા ભરી કતલખાને લઈ જવાઈ રહ્યાં છે.જેથી જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે પાલનપુર ખાતે આવેલ હનુમાન ટેકરી પાસે વોચ ગોઠવી હતી.દરમ્યાન બાતમી વાળી ટ્રક (નં. જીજે ૨૪વી-૮૩૮૩) આવતા તેને રોકાવી તપાસ કરતા ખીચોખીચ એકબીજાને ચામડી ઘસાય તે રીતે ક્રૂરતાપૂર્વક બકરા બાંધીને કતલખાને લઈ જવાતા હતા.જેથી જીવદયા પ્રેમીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પાલનપુર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામ બકરાઓને કતલખાને જતા બચાવી લીધા હતા.જે બાદ પોલીસે આ તમામ ૨૯૯ બકરાઓને નિભાવ માટે ડીસાની રાજપુર પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા અને ટ્રક કબજે કરી ટ્રક ચાલક સૂફીયાનખાન ઉસમાનખાન નાગોરી (રહે.વાઘણા તા.સિદ્ધપુર) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.