વડગામના મેમદપુરનો જવાન ફરજ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં શહીદ

બનાસકાંઠા
બનાસકાંઠા

છાપી,વડગામ,
વડગામ તાલુકા ના મેમદપુર ગામ નો યુવાન જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન શનિવાર રાત્રે શહીદ થતાં તાલુકામાં ભારે શોક પ્રસરી ગયો હતો શહીદ નો પાર્થિવ શરીર સોમવારે વતન પહોંચશે જયાં સન્માન સાથે અંતિમ ક્રિયા કરવામાં આવશે.પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકા ના મેમદપુર ગામ ના વતની અને ૧૭ આર. આર માં ફરજ બજાવતા જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીર માં સેકટર -૯ માં ફરજ બજાવી રહ્યા હતા દરમિયાન શનિવાર રાત્રે માતૃભૂમિ ની રક્ષા કરતા કરતા શહીદ થયા હતા તેઓ ના શહીદી ના સમાચાર તાલુકા માં પ્રસરી જતાં સમગ્ર તાલુકો હિબકે ચઢ્યો હતો દરમિયાન છેલ્લા ત્રણ ચાર દિવસ થી કાશ્મીરમાં આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન સેના દ્રારા ચલાવાઈ રહ્યું છે જે દરમિયાન વડગામ ના મેમદ પુર નો જવાન આ ઓપરેશનમાં શહીદ થયા ના અહેવાલો પ્રાપ્ત થતાં તાલુકા માં ભારે શોક પ્રસરી ગયો હતો શહીદ જશવંતસિંહનો પાર્થિવ શરીર સોમવારે માદરે વતન મેમદ પુર પહોંચશે અને સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે તેવુ સૂત્રો દ્રારા જાણવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.