કોટેશ્વર મહાદેવ ખાતે જલાધીવાસ વિધિ યોજાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

યાત્રાધામ અંબાજી નજીક આવેલા કોટેશ્વર મહાદેવ ખાતે આજે જલાધીવાસ વિધિ યોજાઈ હતી. મોટી સંખ્યામાં આદિવાસી લોકો ભેગા થઈને કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા શિવલિંગને સરસ્વતી નદીના પાણીથી ભરવામાં આવ્યા હતા. તો સાથે સાથે લાંબા સમયથી વરસાદના વરસતા આદિવાસી લોકોએ મહાદેવથી પ્રાર્થના કરી હતી. વરૂણદેવને રીઝાવા માટે આજે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો કોટેશ્વર મંદિર પહોંચી મહાદેવની આરાધના કરી વરસાદ આવે તે માટે જલાધીવાસ વિધિ કરી હતી.


આજે અંબાજીના કોટેશ્વર મહાદેવને જલાધીવાસ કરાયો હતો. સરસ્વતીનું પાણી લઈ ગર્ભગૃહમાં શિવલિંગને ડુબાડવામાં આવ્યા હતા. વરસાદના આવતા આજુબાજુના ગામડાના લોકોની પરંપરા મુજબ વિધિ કરાઈ હતી. ભગવાન કોટેશ્વર મહાદેવનું શિવલિંગ સરસ્વતીના પાણીમાં રહેશે. આજે લોકો કોટેશ્વર મહાદેવને વરસાદ આવે તેવી પ્રાર્થના કરી હતી. વરસાદના આવે એ સમયમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે.લાંબા સમયથી અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદના વરસતા ખેડૂતો ચિંતામા મુકાયા છે. તો તેમને દ્વારા કરેલું વાવેતર પણ હવી વરસાદ ના આવવાના કારણે નુકશાન સર્જાય તેવી સ્થતિ બની રહી છે. વરસાદમાં વિલંબ પડતા ખેડૂતો અને આદિવાસી લોકોએ અંબાજી નજીક આવેલા કોટેશ્વર મહાદેવના શિવલિંગ પર જલાધીવાસ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.