વડગામ તાલુકામાં સિઝન નો ૬૮ ટકા વરસાદ વરસવા છતાં તળાવો ખાલીખમ ખેડૂતોમાં ચિંતા

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામ તાલુકાના મુકતેશ્વર ડેમ માં ઉપર વાસમાં ભારે વરસાદ છતાં પાણી ની માત્ર ૨૬૧ ક્યુસેક આવક નોંધાતા ડેમમાં આજરોજ બપોર સુધી માત્ર ૩૫/૪૯ ટકા પાણી નો જથ્થો હોવાનું ડેમ ના સૂત્રો એ જણાવ્યું હતું રાજસ્થાન સહિત ઉપરવાસ માં ભારે વરસાદ ના કારણે દાંતીવાડા ડેમ ઓવર ફ્લો થતા ડેમ ના છ છ દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે દાંતા તેમજ અંબાજી ની ગિરિમાળા માં ભારે વરસાદ સાથે સિઝન નો ૯૫ ટકા વરસાદ ખબકતા કુલ ૩૬ , ૫ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે વડગામ ની અર્જુની તેમજ સરસ્વતી નદી ન માં નવા નીર આવતા જીવંત બની હતી. અર્જુની તેમજ સરસ્વતી નદી વહેતી થતા મુક્તેશ્વર ડેમ માં છેલ્લા ત્રણ દિવસ થી નવા પાણી ની આવક શરૂ થઈ હતી જોકે આજ સુધીમાં પાણીની આવક ઘટીને માત્ર ૨૬૧ કયુસેક આવક થતા ડેમ ની સપાટી હાલ માં માત્ર ૧૯૬ ,૧૪ મીટર ની હોવાની ડેમ ના ઈજનેરએ જણાવ્યું હતું. વડગામ તાલુકામાં પણ સિઝન નો કુલ ૬૮ , ૪૮ ટકા વરસાદ વરસવા છતાં તાલુકા નું એક પણ તળાવ ઓવરફ્લો થયું નથી તેમજ મોટાભાગના તળાવો ખાલીખમ હોવાનું જાણવા મળે છે. જેથી ખેતી ઉપર નિર્ભર તાલુકા ના લોકો માં ચિંતા જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.