યાત્રાધામ અંબાજીમાં મોડી રાત્રીએ ચાલુ વરસાદે દશામાંના ભકતો ગરબે ઝૂમ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

દશામાના વ્રત ચાલી રહ્યા છે ત્યારે દશા માતાના વ્રતને લઈ માતાજીની વિશેષ પૂજા અર્ચના અને વ્રતોનું પાલન ભક્તો કરતા હોય છે. અમાવસ્યાથી ચાલુ દશા માના વ્રત દસ દિવસ સુધી રહેતા હોય છે. જેમાં દસ દિવસ સુધી દશા માતાના ભક્તો માતાજીની વિશેષ પુજા-અર્ચના અને માતાજીની ભક્તિ કરતા હોય છે. યાત્રાધામ અંબાજીમાં પણ મોટી સંખ્યામાં દશા માતાના ભક્તો આ વ્રતનું પાલન કરતા હોય છે અને દસ દિવસ સુધી વ્રત કરી માતાજીની વિશેષ પૂજા અર્ચના કરે છે. યાત્રાધામ અંબાજીમાં ગત મોડી રાત્રે દશા માતાના ભક્તો ચાલુ વરસાદે માતાજીના ગરબો પર ઝૂમી ઉઠ્યા હતા. માતાજીની ભક્તિ અને આરાધના કરતા ભક્તો કોઈપણ મોસમ કે વિઘ્નનું પરવાહ ન કરી પોતાની ભક્તિનું પ્રમાણ આપ્યું હતું. દશા માતાના વ્રતોને લઈ અંબાજીમાં ધર ધરમાં માતાજીની મૂર્તિ સ્થાપના કરી છે. દસ દિવસ સુધી દશા માતાજીના વ્રતનું પાલન કરી માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરી રહ્યા છે. ત્યારે ગચ મોડી રાત્રે દશા માતાના ભક્તોએ ભક્તિનું પ્રમાણ આપતા ચાલુ વરસાદે દશા માતાના મંદિર આગળ ગરબે ઝૂમી ઉઠ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.