![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/ફાયર-વિભાગની-સરાહનીય-કામગીરી.jpg)
છેલ્લા બે દિવસમાં 6 જેટલાં અબોલ પશુઓના જીવ ફાયર ટીમ દ્વારા બચાવવામાં આવ્યા
ફાયર વિભાગની સરાહનીય કામગીરી:સપ્રેડા કેનાલમાંથી ફાયર બ્રિગેડ દ્વારા 5 નીલગાયને મહામુસીબતે રેસ્કીયુ કરી બહાર કઢાઈ બે દિવસમાં 6 અબોલ પશુઓને જીવિત બહાર કાઢ્યા થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં શનિવારે નીલગાયો અને નાનાં બચ્ચાં પડતાં નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા મહામુસીબતે રેસ્કીયુ કરી પાંચને બહાર નીકળી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યાં હતાં.
થરાદ પાસેથી પસાર થતી નર્મદાની સપ્રેડા કેનાલમાં મુખ્ય કેનાલ નીલ ગાયો પડી હોવાનો કોલ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને આવતા ફાયર ઓફિસર સહિતના જવાનો તાત્કાલિક કેનાલે પહોંચ્યા હતા. જ્યાં સપ્રેડા કેનાલમાં નીલગાયો ખાબકેલ હોય ફાયર ટીમ અને જીવદયાપ્રેમીના સહકારથી ભારે જહેમત બાદ ફાયર ટીમ નીલ ગાયો ને જીવિત બહાર નીકળી હતી અને જંગલ વિસ્તારમાં મૂકવામાં આવી હતી.
ફાયર ઓફિસર જણાવ્યું હતું કે, નર્મદાની મુખ્ય કેનાલમાં અનેક વખત પશુઓ પડ્યાં હોવાના લોકો આમને મળતાં હોય છે. જેમાં હું અને મારી ટીમ તાત્કાલિક પહોંચી અને કેનાલમાં પડેલ પશુઓને બહાર નીકળી જંગલ વિસ્તારમાં છોડી દઇએ છીએ. ત્યારે છેલ્લા બે દિવસમાં 6 જેટલાં અબોલ પશુઓના જીવ ફાયર ટીમ દ્વારા બચાવવામાં આવ્યા છે જે સરાહનીય કામગીરી છે.