થરાદની સબજેલમાં બે વખત સેનીટાઈઝેશનનો ધમધમાટ
પોલીસ,કેદીઓ અને રસોયા સહિતના રિપોર્ટ કરવા જાણ કરાઇ
રખેવાળ ન્યુઝ થરાદ
શનિવારે થરાદની સબજેલમાંથી છુટેલા એક કેદીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં જ જેલ, પોલીસ અને આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ પ્રસરી જવા પામી હતી. આ અંગે જેલર ઇશ્વરભાઇ સુથારે જણાવ્યું હતું કે શનિવારની રાત્રે આરોગ્ય, પોલીસ અને પ્રાંત સહિત વહીવટીતંત્ર દોડી આવ્યું હતું. અને રાતે તથા રવિવારે સવાર સાંજ દિવસમાં બે વખત સમગ્ર જેલને સેનીટાઈઝ કરવામાં આવી રહી છે. તદુપરાંત જેલમાં રહેલા તમામ કેદીઓ તથા રસોઇના કોન્ટ્રાક્ટર અને તેમના માણસો સહિત થરાદ પોલીસવાનના ડ્રાઇવર અને તેમના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓના મેડીકલ રિપોર્ટ કરાવવા માટે જીલ્લાના વહીવટીતંત્રને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. જે ટીમ સોમવારે થરાદ આવવાની
Tags Banaskantha Deesa Gujarat Rakhewal