પાલનપુરમાં લારીચાલકોએ પાલિકાના શાસકોના છાજીયા લીધા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર નગરપાલિકા બહાર જાહેર માર્ગ ઉપરથી શાકભાજીની લારીઓ દૂર કરવામાં આવી છે. જે પુનઃ શરૂ કરવાના મુદ્દે બુધવારે લારી ચાલકો પાલિકામાં ધસી આવી ઢોલ વગાડી સત્તાધીશોના છાજીયા લીધા હતા. તેમજ નગર પાલિકાના જાહેર રસ્તા ઉપર શાકભાજીની લારી ઊભી રાખવા મુદ્દે ઉગ્ર રજુઆત કરી હતી.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે પાલનપુર નગરપાલિકાના જાહેર રસ્તા ઉપર આવેલ શાકભાજીની લારીઓ ઉભી ન રાખવા બાબતે નગરપાલિકા દ્વારા જાહેર સૂચના આપવામાં આવી હતી. જે પુનઃ શરૂ કરવાના મુદ્દે બુધવારે લારી ચાલકો પાલિકામાં ઘસી આવી ઢોલ વગાડી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ સત્તાધીશોના છાજીયા લીધા હતા. તેમજ નગરપાલિકાના જાહેર રસ્તા ઉપર શાકભાજીની લારી ઊભી રાખવા મુદ્દે ઉગ્ર રજુઆત કરી હતી. લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. ખુલ્લેઆમ નગરપાલિકામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.