પાલનપુરમાં કતલખાને લઈ જવાતા પાડા ભરેલી ટ્રક ઝડપાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે વહેલી સવારે એરોમાં સર્કલ પર વોચ ગોઠવીને આબુરોડ તરફ પાડા ભરીને આવી રહેલી એક ટ્રકને ઝડપી પાડી હતી. જેમાં ૩૪ પશુઓનો જીવ બચાવ્યા હતા. બનાવમા પોલીસે પાસ પરમીટ વિના પાડા ને કતલખાને લઈ જતા ટ્રક ચાલકની અટકાયત કરી હતી. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનમાંથી મોટાપાયે અબોલ જીવોને ગુજરાતના વિવિધ કતલખાને મોકલવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેમાં કેટલીક વાર જીવદયા પ્રેમીઓની સજાગતાથી કતલખાને જતા પશુઓના જીવ બચી રહ્યા છે. જે વચ્ચે પાલનપુરના નવા લક્ષ્મીપુરામાં રહેતા જીવદયા પ્રેમી સંજયભાઈ હરખાભાઈ પ્રજાપતિએ બાતમી ના આધારે રવિવારે વહેલી સવારના સાડા પાંચ વાગે પાલનપુરના એરોમાં સર્કલ પર વોચ ગોઠવીને રાજસ્થાનના આબુરોડ તરફ થી પાડા ભરેલી ટ્રક આવી રહેલી એક ટ્રકને થોભાવી ટ્રકની તલાશી લેતા ટ્રક ઘાસચારા અને પાણી વિના ૩૪ પાડા ગીચોગીચ ભરેલા હોઈ અને આ પાડા અંગે કોઈ પાસ પરમીટ ન હોઈ બનાવ અંગે પોલીસ ને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી. અને પાડા ભરેલ ટ્રક ને પોલીસ મથકે લઈ જઈ ટ્રક ચાલક મહમદઅયાજ ફરીદખાન પઠાણ રહે ગ્રીન પાર્ક સોસાયટી કડી જી.મહેસાણા વાળા ની અટકાયત કરી તેની વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.